Friday 27 September 2024

મારા લગ્ન થઈ ચૂક્યા છે... – શહીદ ભગતસિંહ જન્મજયંતિ વિશેષ

મારા લગ્ન થઈ ચૂક્યા છે અને મારી દુલ્હનનું નામ છે... આઝાદી
– શહીદ ભગતસિંહ



આ શબ્દો છે શહીદ ભગતસિંહના જેમણે પોતાના પ્રેમને એટલો અસીમ બનાવ્યો કે દુનિયાના ભલા માટે મરી ફીટવાની ભાવના જાગૃત કરી ગયા.

તેજાબી વ્યક્તિત્વ, ધારદાર સત્યથી ભરપૂર ભાષા, બાજ જેવી ચપળતા અને સાથે જ ચહેરા પર બાળક સમાન શાંતિ અને સત્યનાં આધારે જીવાયેલા જીવનથી વિકસિત થયેલું તેજ.

કરુણતા જુઓ કે, પોતાના જ દેશ માટે લડનાર ભગતસિંહને ફાંસી ની સજા આપનાર જલ્લાદ, ભારતીય.

એમના વિરુદ્ધ કેસ લડતાં વકીલ, ભારતીય.

એમને પકડાવનાર પોલીસ, ભારતીય.
...

છતાં ભગવાન બચાવવા આવશે એવી રાહ જોઈને બેસેલા ભારતીયો એમને સમજી ન શક્યાં કે આ વ્યક્તિ આપણને જ આઝાદી અપાવવા માટે લડે છે.

...

છસ્સોથી વધુ પુસ્તકો એટલી નાની ઉંમરમાં વાંચનાર ભગતસિંહ, જ્યારે ભગવદ્ગીતા જેવું ઉત્તમ ઉપનિષદ આખેઆખું પચાવી જાય અને પછી એમનું આઝાદી અપાવવા જેવડા મોટા લક્ષ્ય માટે જે આત્મબળ વધે... એની કોઈ હદ ન જ હોય...!!!

તેઓ એમનાં ફાંસીના સમય સુધી લેનિનને વાંચતા હતા. જલ્લાદને એમણે કહેલું કે હું કંઈક નવું શીખીને મરવા માંગુ છું. નાનામાં નાનો પ્રસંગ તેમણે એમની ડાયરીમાં ટપકાવી લીધો છે. બધું જ લખીને, સતત વર્તમાનમાં રહીને, અભિવ્યક્ત થઈને જીવેલા શહીદ ભગતસિંહને શબ્દાંજલિ આપવા મારા શબ્દો હંમેશાં ટૂંકા જ પડશે.

પણ
આજે એમને યાદ કરીને આપણે બસ એટલું જ વિચારવાનું છે કે આપણે આજે કઈ કઈ રીતે ગુલામ છીએ. કયા બંધનો આપણને આગળ વધતા રોકે છે, કઈ તાકાતો આપણને આજે પણ ગુલામ બનાવવા તત્પર છે. અને કઈ બાબત છે એ જેનો આપણે હિસાબ લગાવવાનું ભૂલ્યાં છીએ.

આજે કયો માણસ તેના સ્ક્રીનમાં શું જુએ છે, વાંચે છે, મનમાં ભરે છે એ કળવું જ મુશ્કેલ થઈ ગયું છે. એટલે ઝડપથી એ સમજાતું નથી કે પોતે જે કંઈ જુએ છે, સાંભળે છે એનાથી કઈંક ભલું થવાનું છે કે કેમ. વિદેશી સત્તાઓ, સમાચાર માધ્યમો, નિમ્ન કક્ષાની કોઈ મેસેજ વિનાની ફિલ્મો, રાજકીય કાવાદાવા, સાસુ વહુના ઝઘડાઓ, રીલેશનશીપ, બ્રેકઅપ વગેરે સાવ છેલ્લી ક્વોલિટીનું કન્ટેન્ટ પીરસીને અફીણના નશામાં રાખે છે અને ઉપરના લેવલે બેઠેલા લોકો શું ગેમ રમી રહ્યા છે એ વાત આપણને ખબર જ પડતી નથી.

(જો કે એ જાણવા માટેની પણ સરસ ટ્રિક છે, કે જે વસ્તુઓ રોજિંદી ચર્ચામાં ઉતરે, બે પાંચ માણસો વચ્ચે ઉલ્લેખ થાય એ બધું એમના જોવા જાણવામાં આવે છે એમ માનવાનું...)

વસ્તીવધારો, બેરોજગારી, આર્થિક અસમાનતા, મોંઘવારી, નાગરિક અધિકારનું હનન, સામંતવાદી વિચારો સાથે આગળ વધતી યુવા પેઢી, ટૂંકી માનસિકતા, પ્રમાદી જીવનશૈલી, નશાખોરી વગેરેએ આપણાં આંખ અને કાન બંને બંધ કરી દીધા છે જેથી આવનારી વિપત્તિઓ વિશે આપણને સહેજ પણ અંદાજ નથી.

કુદરત એ બધાનાં શક્ય એટલા પરચા આપી રહી છે. સુનામી, વાવાઝોડું, દાવાનળ, ભૂકંપ, ભૂસ્ખલન, હિમ પ્રપાત, હિટવેવ વગેરે એ બાબતોનો પુરાવો છે.

આટલી મોટી સમસ્યાઓ સામે આપણને આપણી હસ્તી બહુ નાની લાગે એ સ્વભાવિક છે, પણ કોઈપણ સમસ્યા આપણાં આત્મબળ કરતા મોટી ન હોઈ શકે એમ સમજીને...

૧. શક્ય એટલા શુભ પગલાં લઈને આપણી આસપાસ પ્રકાશમય માહોલ બનાવવાનો પ્રયાસ કરીએ.
૨. શરીર મનને સ્વસ્થ અને શાંત રાખીને આપણી ઊર્જા શક્ય એટલાં સારા કામ માટે વાપરીએ.
૩. વોટસએપ યુનિવર્સિટી અને ફેસબુક કૉલેજનાં વિદ્યાર્થી ન બનીને લોકોમાં ફેલાતી અંધશ્રદ્ધા અને આડંબર અટકાવીએ...
૪. સમાજમાં જાગૃતિ લાવવા માટેના ઉપાયો કરીએ.
૫. વૈજ્ઞાનિક ઢબે જીવન જીવીએ, નવા પુસ્તકો, નવા વિચારો વાંચતા રહીએ, નોંધ કરતા રહીએ...

એવા તો ઘણાં કર્મો છે જે આપણને શિવ શબ્દ નો સાચો અર્થ સમજાવવા માટે હાજર જ હોય છે.

પણ આજે આટલે થી વિરમું છું. ભગતસિંહના ખાસ મિત્રો રાજગુરુ અને સુખદેવ વિશેની રસપ્રદ વાતો લઈને શબ્દોની પાર્ટીમાં મળીશું ફરી ક્યારેક.

આત્મદીપ ભવઃ

– રોહિત વ્યાસ.

Saturday 21 September 2024

સ્વભાવ, ટેવ, વૃત્તિઓ - એક નાનકડી ચર્ચા

માણસ પોતાનો સ્વભાવ ના બદલી શકે, પણ ટેવ તો બદલી જ શકે!!
સ્વભાવ અને ટેવ એક જ કે સ્વભાવ પરથી ટેવ પડે? કે પછી ટેવ પરથી સ્વભાવ બને? કોઈ આ બાબત પર પ્રકાશ પાડી શકશો??

ઉત્તર: આપે સુંદર પ્રશ્નકર્યો.
આના જવાબમાં હું સ્વભાવ, વૃત્તિ, ટેવ, મનોબળ, યોગ જેવા શબ્દો અને સંદર્ભોનો ઉપયોગ કરીશ.

-----

ટેવ અને સ્વભાવ બંને એક રીતે માનસિક, શારીરિક વૃત્તિઓ જ છે, જે આજીવન આપણી સાથે રહે છે અને સતત બદલાતી રહે છે.

આપણે એક સરસ વાક્ય બોલીએ છીએ કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય.
બિલકુલ સાચી વાત છે.
પણ
આ સાથે એક જજમેન્ટ બાંધીએ છીએ કે ફલાણા વ્યક્તિ એવા જ રહેવાના, અને કોઈ બદલાવ આવવાનો નથી...

પણ...
પ્રકૃતિ જે રીતે પોતાનું રૂપ દરેક ઋતુઓમાં અલગ દેખાડે છે એમ માણસ પણ પ્રકૃતિમાંથી જન્મેલો જીવ છે અને તેનું જ પ્રતિબિંબ આખા જીવનમાં પડતું હોય છે. અને માણસ તેના જીવન દરમ્યાન ઘણી બધી વખત બદલાઈ શકે છે, તે બાબત આપણે ભૂલી જઈએ છીએ.

આજે હું જે વિચારું છું એ મુજબનું જ મારું જીવન અને ટેવો હશે, પણ શક્ય છે કે દસ વર્ષ પછી હું મારા વિચારોમાં પ્રયત્ન પૂર્વક પરિવર્તનો લાવું તો મારી ટેવો બદલાઈ પણ જાય.

ટેવ અને સ્વભાવને મનોબળ સાથે સીધો જ સંબંધ છે. આપણે જાગૃત અવસ્થામાં જે કંઈપણ કરીએ અને બોલીએ એ ધીરે ધીરે ટેવ બની જાય છે અને એમાં પરિવર્તન લાવવું શક્ય છે.

નીચે આપેલા શક્યતા સૂચક વિધાનો જોઈ લઈએ.

• વ્યસન ન કરવાની હઠ મને નવા સકારાત્મક આયામો તરફ લઈ જઈ શકે છે.
• દરરોજ દસ થી વીસ પાનાં વાંચવાથી મને ઘણું નવું જાણવા મળી શકે છે. અને શક્ય છે કે મને પુસ્તક વાંચવાની ટેવ પડી જાય.
• ખરાબ મિત્રો ન બનાવવાની જીદ મને એક જુદો સામાજિક દરજ્જો અપાવી શકે છે.
• દરરોજ રોજનીશી લખવાની ટેવ મારા અક્ષરો સુધારી શકે, મને સર્જનાત્મકતા આપી શકે.
• નિમ્ન કક્ષાનું ગુજરાતી વ્યવહારમાં ન બોલીને હું મારી ભાષામાં સ્પષ્ટતા લાવવાનો શ્રમ કરું તો ઘણી પ્રગતિ કરી શકું.

-----

આ બધા ટેવો બદલાવવા માટેનાં અને મનને નવી દિશા તરફ દોરી જનારા વિચારો છે. આ પેટર્નમાં વિચારવાથી શરૂઆતમાં થોડી ઘણી તકલીફ થઈ શકે છે. કારણ કે મોટા ભાગે દરેક માણસને પોતાનું જીવન જેમ ચાલે છે એમ યોગ્ય જ લાગતું હોય છે અને ભવિષ્યના ફાયદાથી અજાણ હોવાથી આપણે આજે પરિવર્તન લાવી શકતાં નથી.

મન અથવા અહંકાર એવું હંમેશા બોલશે કે,
શું જરૂર છે આ બધું બદલવાની?

તો ચાલો હવે એ સમજીએ કે સમયાંતરે પરિવર્તન લાવવા શા માટે જરૂરી છે.

કુદરતના દરેક તત્વો સતત પ્રગતિશીલ અને પરિવર્તનશીલ છે. જેમ આપણી શ્વાસનળી દર સેકન્ડે નવો શ્વાસ લે છે, શિરા અને ધમની સતત નવું જૂનું લોહી બદલાવ્યા કરે છે, દરેક કોશિકાઓ નષ્ટ થાય છે અને તરત જ નવી જન્મે છે એ જ રીતે દરરોજ નવા અનુભવો નવા સંદર્ભો નવા વિચારો આપણને પરિવર્તિત કરતા જ રહે છે.

શરીરનું મૃત્યુ પણ ત્યારે જ થાય છે જ્યારે તમામ નાની મોટી, સારી ખરાબ બધી જ વૃત્તિઓ શાંત પડી જાય. વૃદ્ધ માણસ જ્યારે મરણ પથારીએ હોય ત્યારે તેની દમિત થયેલી વૃત્તિઓ જ એક સાથે બહાર આવતી હોય છે. અને તેને આપણે સન્નીપાત કહીએ છીએ, રગો તૂટે છે એમ કહીએ છીએ. પછી એ હસે, રડે, ગાળો ભાંડે, ગુસ્સો કરે, કણસે, લવારી કરે...
કંઈ પણ થાય, એ બધું જ જીવન દરમ્યાનના દબાયેલા, અભિવ્યક્ત ન થયેલા સંસ્કારો અને વૃત્તિઓ જ હોય છે.
તે બહુ દયનીય સ્થિતિ હોય છે.

ખેર,
માણસ પોતાનો સ્વભાવ અને ટેવ બંને બદલી શકે છે. પણ એ માટે સઘન અને સક્રિય પ્રયાસો કરવા પડે છે. માત્ર મનથી વિચારવા માત્રથી બદલાવ નથી આવતો.  એ માટે ભારતમાં લાંબી અને સખત કેદની સજા ભોગવી રહેલા લોકોને શિક્ષિત કરવાની અને તેમને સામાજિક જીવનમાં પાછા માનભેર રહી શકે તે માટે સુધાર ગૃહો ચાલે છે. કિરણ બેદીએ આ ક્ષેત્રમાં સારું કામ કરેલ છે.

ગૌતમ બુદ્ધ આ બાબતે ઉત્તમ ઉદાહરણ છે. તેમણે માત્ર એટલો સંદેશ આપ્યો કે મન મગજ, શરીર કઈ રીતે શું વૃત્તિઓ ધરાવે છે એ બાબત માત્ર સાક્ષી ભાવે જુઓ. (Be watchful). અને એમ વિપશ્યના ધ્યાન વિકસ્યું. આ રીતે જોવા અને અવલોકન કરવા માત્રથી ઘણી ટેવો બદલાઈ જાય છે અને ઘણું સારું પરિવર્તન પણ આવે છે.

હવે મિત્રો તમને જો અહીં યોગસૂત્ર યાદ આવે તો તમને વૃત્તિઓ વિશે પ્રશ્ન થશે કે,
ચિત્ત વૃત્તિઓનો નિરોધ એટલે યોગ.
તો આમાં વૃત્તિઓને ત્યાગવી ન પડે?

ના, બિલકુલ નહિ. વૃત્તિઓને ત્યાગવાની નથી પણ તેનો નિરોધ કરવાનો છે, એટલે કે તેને પોસ્ટપોન કરવાની છે, પાછી ઠેલાવવાની છે. આ રીતે પાછી ઠેલવવાની ક્રિયાથી નબળી અને મલિનતા વાળી વૃત્તિઓનો મૂળમાંથી જ નાશ થઈ જાય છે. અને યોગ સિદ્ધ માણસ આજીવન સાત્વિક વૃત્તિઓ સાથે જીવીને સહજ રીતે શરીર છોડી શકે છે. (જેને આપણે મુક્તિ કહીએ છીએ.)

-----

આભાર સાહેબ. આપે ટેવ અંગે ખૂબ સારી સમજણ આપી. પરંતુ સ્વભાવ બાબતે સ્પષ્ટતા કરી શકશો તો જાણવા મળશે. દાખલા તરીકે કોઈ માણસનો સ્વભાવ જ લોભી છે. તો તેમાં કેમ બદલવા આવી શકે? 
બુધ્ધ, મહાવીર, સોક્રેટીસ પ્લેટો આવા તત્વચિંતકો આવું કરી શકે પણ સામાન્ય માણસનું શું?

-----

ઉત્તર: એના માટે નિયમિતતા જરૂરી છે. Consistency.

ખટ્કર્મ આજના જમાનામાં ખુબ વધી ગયાં છે અને સારા વિચારો આપણને હવે બિનઉપયોગી લાગે છે. આ એક વજન કાંટા જેવું છે ડાબું અને જમણું પલ્લું બંને સરખા થાય ત્યારે સામંજસ્ય બની શકે છે. એટલે દુરાચાર, અજ્ઞાન, ખટકર્મની સામે સત્કર્મ પણ નિયમિતપણે વધારવા પડે.

ઉદાહરણ તરીકે,
લોભી હોય એ દરરોજ ભંડારામાં જઈને સેવા આપી શકે.
સીધું સામાન વગેરે આપીને દાન કરીને તેની એ લોભી વૃત્તિ શાંત પાડી શકે.
પણ  સંકલ્પશક્તિ હોય ત્યારે જ આ શક્ય બને છે.

એનું ઉત્તમ ઉદાહરણ છે ભીષ્મ પિતામહ.
તેઓ અતિશય આત્મવિશ્વાસ સાથે હુંકાર ભરીને ખૂબ જોરથી બોલેલા કે હું ગંગાપુત્ર ભીષ્મ એ પ્રતિજ્ઞા કરું છું કે હું આજીવન બ્રહ્મચર્ય નું પાલન કરીશ અને લગ્ન નહિ કરું.

બોલેલા શબ્દો, કોઈને કહેલી સારી વાત ક્યારેય વિફળ નથી જતી.
બોલે માણસ બંધાય એ આનું નામ.

ખરેખર સ્વભાવ સુધારવા પ્રયત્ન કરનાર વ્યક્તિ છડેચોક ફેસબુક પર એલાન કરી શકે કે આજથી હું આટલી નકારાત્મક બાબતોનો ત્યાગ કરું છું.

બ્રાહ્મણો આપણને વિવિધ સંકલ્પો કરાવે છે તેમાં અહમ કરિષ્યે એવું બોલાવે છે, એની પાછળનું પણ આ જ કારણ છે.

ટુંકમાં...
વૃત્તિઓ અને ટેવ નજીકના શબ્દો છે.
ટેવોનું ઝૂમખું ભેગું થઈને વર્તનમાં દેખાય એટલે સ્વભાવ બની જાય.

ઘણી વૃત્તિઓ જન્મ સાથે જ આવે છે પણ એ મોટા ભાગે શારીરિક હોય છે.
કસમયે ભૂખ લાગવી, ઝાડો પેશાબ થઈ જવો, વગેરે.

જ્યારે ગુણોનો વિકાસ
પ્રયત્ન પૂર્વક કરવો પડે છે.

- રોહિત વ્યાસ (ભાવનગર)

અહીં નરસિંહ મહેતાને યાદ કરીને વાતચીતને સાહિત્ય કૃતિ વડે વિરામ આપીએ.

રાત રે જાહ રે, પાછલી ખટ ઘડી,
સાધુ પુરુષને સૂઈ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરી,
એક તું એક તું એમ કહેવું. ... .... .... ....  ટેક.

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. .... .... .... ટેક.

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારિયે કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું. .... .... .... ટેક.

આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામિને સ્નેહથી સમરતાં,
ફરી નવ અવતરે નર ને નારી. .... .... .... ટેક.

– નરસિંહ મહેતા

Monday 16 September 2024

Book Overview - "Rustle of Language" by Roland Barthes

"Rustle of Language" ("Le bruissement de la langue" in French) is a collection of essays by Roland Barthes, a prominent French literary theorist and philosopher. Originally published in 1984, the book delves into various aspects of language, literature, and semiotics, reflecting Barthes' deep engagement with the structures and meanings embedded within texts and discourse.

Here's an overview of the essays included in "Rustle of Language":

  1. The Grain of the Voice (Le grain de la voix):

    • In this essay, Barthes explores the significance of the 'grain' or texture of a voice in music and literature. He examines how the unique qualities of a voice, beyond its linguistic content, convey affective and expressive dimensions.
  2. The Light of the Sud (La lumière du Sud):

    • Barthes reflects on the impact of geography and climate on language and culture. He contrasts the cultural textures and linguistic tones of the Mediterranean South with those of the colder, more rational North.
  3. To Write: An Intransitive Verb? (Écrire: un verbe intransitif?):

    • Here, Barthes considers writing as an activity that does not necessarily have a fixed goal or object. He questions whether writing can exist purely as an act in itself, detached from conventional purposes or outcomes.
  4. Inaugural Lecture at the Collège de France:

    • This essay represents Barthes' inaugural lecture upon his induction into the Collège de France, where he discusses the role of the critic in understanding literature and language.
  5. Theory of the Text:

    • Barthes elaborates on his theory of the text, distinguishing it from the concept of 'work'. He argues that a text is not a stable entity but a field of multiple meanings and interpretations shaped by both the author and the reader.
  6. Work to Text:

    • Building upon his theory of the text, Barthes explores how traditional 'works' of literature transform into 'texts' through various discursive practices and readerly engagements.
  7. The Rustle of Language (Le bruissement de la langue):

    • The titular essay investigates language's nuanced, ephemeral qualities as it operates in literary texts and everyday speech. Barthes emphasizes the subtle, often unnoticed sounds and rhythms that contribute to the richness of language.
  8. From Science to Literature:

    • Here, Barthes examines the relationship between scientific discourse and literary language, exploring how each constructs and conveys knowledge and meaning.

Each essay in "Rustle of Language" contributes to Barthes' overarching exploration of language as a dynamic, multifaceted system that shapes and is shaped by culture, history, and individual expression. His approach blends literary analysis with philosophical inquiry, inviting readers to reconsider how language operates beyond its surface meanings.

N.B. This blog is written with the assistance of ChatGPT 4o.